મુંબઈ મરાઠી માનુષના બાપની છે જેમને આ વાત માન્ય નથી તે જણાવે કે તેનો બાપ કોણ છે- સંજય રાવત

શિવસેના અને બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત વચ્ચેનું વાક્ યુદ્ધ ચાલી રહ્યું છે. અભિનેત્રીએ ટ્વીટ કરીને મુંબઈની તુલના PoK સાથે કરી હતી જે બાદ શિવસેનાએ વળતો પ્રહાર કર્યો  છે.

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું, મુંબઈ મરાઠી માનુષના બાપની છે જેમને આ વાત માન્ય નથી તે જણાવે કે તેનો બાપ કોણ છે. શિવસેના આવા મહારાષ્ટ્રના દુશ્મનોનું શ્રાદ્ધ કર્યા વિના અટકશે નહી, વચન છે. જય હિંદ, જય મહારાષ્ટ્ર.

જ્યારે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના પર નિશાન સાધતા કહ્યું કે, તેમને મહારાષ્ટ્ર કે મુંબઈમાં રહેવાનો કોઈ હક નથી. દેશમુખે જણાવ્યું કે, મુંબઈ પોલીસની તુલના સ્કોટલેન્ડ યાર્ડ સાથે કરવામાં આવે છે. કેટલાંક લોકો મુંબઈ પોલીસને નિશાન બનાવવાનો પ્રયાસ કરે છે. એક આઈપીએસ અધિકારી તેની વિરુદ્ધ કોર્ટમાં ગયા છે. તેમની મુંબઈ પોલીસ સાથે તુલના… તેમણે મહારાષ્ટ્ર કે મુંબઈમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

ઉલ્લેખનિય છે કે, અભિનેત્રી કંગના રણૌતે ટ્વીટમાં લખ્યું હતું કે, શિવસેનાના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી અને મને પરત મુંબઈ નહી આવવા કહ્યું, પહેલા મુંબઈની ગલીઓમાં આઝાદીવાળા પોસ્ટર અને હવે ખુલ્લી ધમકી, મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવું કેમ લાગી રહ્યું છે?

કંગના દ્વારા મુંબઈની તુલના PoK સાથે કરવામાં આવતા ઘણાં બોલીવુડ અભિનેતા અને નેતાઓએ ટીકા કરી. તે બાદ કંગનાએ ટ્વીટ કરી લખ્યું કે, ઘણાં લોકો મને મુંબઈમાં પરત નહી આવવાનું જણાવી રહ્યાં છે, તો હુ તેમને જણાવી દઉં કે મેં નિર્ણય કર્યો છે કે આ અઠવાડિયે 9 સપ્ટેમ્બરે હું મુંબઈ આવી રહી છું અને જ્યારે હું એરપોર્ટ પહોંચી જઈશ તો ટાઈમ પણ જણાવી દઈશ. કોઈના બાપમાં હિંમત હોય તો રોકે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.