મુંબઈમાં કરાયેલી કામગીરીને વખાણતાં,મુંબઈના કમિશ્નર ઈકબાલસિંહ ચહલ આવી ગયા છે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં

મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સાથે ગયા અઠવાડિયે કરેલી વાતચીતમાં મુંબઈમાં કરાયેલી કામગીરીને વખાણતાં મુંબઈના કમિશ્નર ઈકબાલસિંહ ચહલ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી ગયા છે.

આ જ ચહલને મોદી સરકારે પાંચ વર્ષ પહેલાં કેન્દ્ર સરકારમાંથી બેઆબરૂ કરીને પાછા મહારાષ્ટ્ર કેડરમાં મોકલી દીધા હતા. સુશીલ કુમાર શિંદેની નજીક હોવાથી યુપીએ સરકાર વખતે ચહલને ગૃહ મંત્રાલયમાં લઈ જવાયા હતા.

મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી ચહલને ઉઠાવીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં મોકલી દેવાયા હતા. મેનકા ગાંધી સાથે આઈસીડીએસના અમલીકરણ મુદ્દે મતભેદો થતાં ચહલને રજા પર ઉતારી દેવાયા હતા. એ પછી તેમના ડેપ્યુટેશનને ત્રણ વર્ષ બાકી હોવા છતાં મહારાષ્ટ્ર પાછા મોકલી દેવાયા હતા.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.