નાગરિકતા સંશોધન બિલ પર કૉંગ્રેસ ભરાઈ, BJP લઇને આવી મનમોહન સિંહનો વિડીયો

નાગરિકતા કાયદાનાં વિરોધમાં દેશનાં અલગ અલગ ભાગોમાં જોરદાર પ્રદર્શન થઇ રહ્યા છે. વામપંથી દળોએ આજે ભારત બંધની જાહેરાત કરી છે અને આનું સમર્થન કૉંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષોએ કર્યું છે. આ દરમિયાન કૉંગ્રેસને ઘેરવા માટે બીજેપી પૂર્વ પીએમ મનમોહન સિંહનો 2003માં રાજ્યસભામાં આપેલા નિવેદનનો એક વિડીયો લઇને આવી છે. વિડીયોમાં મનમોહન સિંહ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર હિંસાનો શિકાર થયેલા શરણાર્થીઓ માટે સરકારને સહાનુભૂતિપૂર્ણ વલણ રાખવાની સલાહ આપી રહ્યા છે.

2003માં કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વમાં એનડીએની સરકાર હતી. તે સમયે રાજ્યસભા સભ્ય મનમોહન સિંહ સદનમાં નેતા વિપક્ષ હતા. ગૃહમાં ઉપસ્થિત ઉપ-પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને સંબોધિત કરતા સિંહે કહ્યું હતુ કે, “હું શરણાર્થીઓનાં સંકટને તમારી સામે રાખવા માગુ છું. ભાગલા બાદ આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર નાગરિકોનું ઉત્પીડન કરવામાં આવ્યું. જો આ ત્રાસ સહન કરેલા લોકો આપણા દેશમાં શરણ લેવા પહોંચે છે તો તેમને શરણ આપવું આપણી નૈતિક ફરજ છે. આ લોકોને શરણ આપવા માટે આપણો વ્યવહાર ઉદારપૂર્ણ હોવો જોઇએ. હું ગંભીરતાથી નાગરિકતા સંશોધન બિલ તરફ ડેપ્યૂટી પીએમનું ધ્યાન આ તરફ દોરવા ઇચ્છુ છું.”

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.