નમસ્તે ટ્રમ્પ નહીં પણ તબલીગી જમાત છે ગુજરાતમાં વધનારા કેસનુ કારણ-સીએમ રૂપાણી

ગુજરાતમાં કોરોનાનો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં સ્થિતિ નિયંત્રણમાં હતી પરંતુ ત્યારબાદ સ્થિતિ થોડી બગડી. ગુજરાત એક એવું રાજ્ય છે કે જે વસ્તીમાં ભલે પાંચ ટકા હોય પરંતુ જીડીપીમાં સાડા સાત ટકા યોગદાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હવે રાજ્યની કમાન વિજય રૂપાણીના હાથમાં છે. તેમણે ઝી હિન્દુસ્તાન સાથે વાતચીતમાં પ્રદેશની તાજા સ્થિતિ શેર કરી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાતચીતની શરૂઆતમાં જ તબલિગી જમાત અંગે કહ્યું. તેમણે કહ્યું કે અમદાવાદ અને સુરતમાં જ રાજ્યના 75 ટકા કેસ છે. પ્રદેશના બાકીના મોટાભાગના હિસ્સામાં સંક્રમણ રોકવામાં અમે સફળ રહ્યાં છીએ. અમદાવાદ અને સુરતમાં જે રીતે અચાનક કેસ વધ્યા તે તબલિગી જમાતના કારણે વધ્યાં. અમદાવાદમાં ગાઢ વસ્તી છે. આ ગીચોગીચ વસ્તીમાં મોટાભાગે લઘુમતી સમુદાયના લોકો રહે છે. જમાતના લોકો આ ગીચ વસ્તીમાં લોકોને ખુલ્લેઆમ મળતા રહ્યાં અને સરકારથી ટ્રાવેલ હિસ્ટ્રી પણ છૂપાવી.

નિયંત્રણ માટે સરકારે ટેસ્ટિંગની કાર્યવાહી, ક્વોરન્ટાઈન કરવા, લોકોની તપાસ વગેરે પર ખુબ ભાર મૂક્યો. આ કામગીરી લગભગ 15-16 એપ્રિલથી લઈને 28-29 એપ્રિલ સુધી કરવામાં આવી. તેમણે કહ્યું કે ગુજરાતમાં ફક્ત 5253 જ કોરોના એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 3753 લોકો સાજા થઈને ઘરે ગયા છે. હાલ ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ લગભગ 38 ટકા છે જે ગત અઠવાડિયાના 18 ટકા કરતા ઘણો વધુ છે. આગળ પણ સ્થિતિ સારી રહેશે તેવો ભરોસો છે. ત્યારબાદ લોકડાઉનનું પાલન કરાવવા માટે અર્ધસૈનિક દળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. પોલીસ અને અર્ધસૈનિક દળોની મદદથી અમદાવાદમાં સારી કામગીરી થઈ છે. આજે અમદાવાદની સ્થિતિ ઘણી સારી થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.