છેલ્લા દસ વર્ષથી જેલમાં બંધ બાપુને મુક્ત કરવા આશારામ બાપુના સાધકોની માંગ ને નવનિર્માણ પાર્ટી એ સમર્થન

છેલ્લા દસ વર્ષથી જેલમાં બંધ બાપુને મુક્ત કરવા આશારામ બાપુના સાધકોની માંગ ને નવનિર્માણ પાર્ટી એ સમર્થન

ગુજરાત અને દેશમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોની અને આશ્રમોની જમીનો ખાલી કરાવવા દબાણ ઉભું કરવા તેમજ રાજકીય કારણોસર અનેક પરમ પૂજ્ય સંતો વિરુદ્ધ વિવિધ પ્રકારના કેસો કરાવવામાં આવી રહ્યાં છે જેમાં ઘણાં કેસો પ્રથમ દ્રષ્ટિએ જોતાં જ શંકાસ્પદ લાગે છે છતાં ગુનો દાખલ થઈ જાય પછી જેમનાં વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમને ન્યાયિક પ્રક્રિયા મુજબ પોતાનો બચાવ કરવાનો રહે છે અમારું સ્પષ્ટ માનવું છે કે જેતે રાજ્ય સરકારોએ આવાં તમામ શંકાસ્પદ કેસોમાં ફેરતપાસ કરાવી ઉપજાવી કાઢેલા કેસો પરત ખેંચવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
        ગુજરાત નવનિર્માણ સેના દ્વારા આ માંગણી ને ટેકો આપતા ગુજરાત નવ નિર્માણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અતુભાઈ દવે એ જણાવ્યું હતું કે પૂજ્ય સંતશ્રી આશારામ બાપુ વિરુદ્ધ કરવામાં આવેલા કેસો પણ શંકા ઉપજાવે તેવા છે અને હાલમાં આ કેસોમાં ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે નામદાર સેશન્સ કોર્ટથી લઈને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માટે લડવાનો જેમ દરેક નાગરિકને અધિકાર છે અને એ અધિકાર પૂજ્ય બાપુજીને પણ છે અને ન્યાયિક પ્રક્રિયા મુજબ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પૂજ્ય બાપુજી નામદાર સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે અને મહત્વની વાત એ છે કે બાપુ હતા ત્યારે તેઓ સનાતન ધર્મ ની સતત ચિંતા કરતા હતા અને એ હતા ત્યારે મિશનરીઓ એટલી એક્ટિવ નહતી અને એમના જેલમાં ગયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં મિશનરીઓ દ્વારા તેમનો પ્રચાર કરી સંતો મહાંતોને અંતરિયાળ વિસ્તારમાંથી ભગાડી અને ધર્મ પરિવર્તન નું કરી મોટાપાયે શરૂ કરવામાં આવ્યું છે અને આ બધી તકલીફો અશારામજી બાપુ હતા ત્યારે આવા ધર્માંતરણ ના મુદ્દાઓ નહોતા થતા તેવું મહંત કાલિદાસ મહારાજ દેકાવડા એ જણાવ્યું હતું, આ મામલે દાહોદ ની એક હોટલમાં ગુજરાત નવ નિર્માણ સેના ના અધ્યક્ષ અતુલ દવે દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલિદાસ મહારાજ, શિવાનંદ સરસ્વતિમહરજ, દાન બાપુ તેમજ મહેશભાઈ કટારા, અને બાપુના ભક્તો ઉપસ્થિત રહ્યા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.