NCP નેતા શરદ પવારનુ નિવેદન: રામ મંદિર માટે ‘ટ્રસ્ટ’ બની શકે તો મસ્જિદ માટે કેમ નહી

એનસીપીના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે લખનઉમાં એક નિવેદન આપ્યું કે જ્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું તો મસ્જિદ માટે કેમ કોઈ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું નથી.

પવારે રામ મંદિર માટે બોલતા કહ્યું કે અમે તેની વિરુદ્ધ નથી પરંતુ જ્યારે તમે મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવી શકો છો તો મસ્જિદ માટે ટ્રસ્ટ કેમ બનાવી શકતા નથી. આ નિવેદન તેમણે લખનઉમાં એનસીપી પાર્ટી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આપ્યું. હકીકતમાં 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઈને બુધવારે એનસીપી પાર્ટીએ લખનઉમાં એક સંમેલન આયોજિત કર્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેવા માટે સેકડો એનસીપી કાર્યકરો લખનઉ પહોંચ્યા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.