કોરોના સંકટ વચ્ચે રસીકરણને વેગ આપવા સરકારનો નિર્ણય,NEGVAC ની ભલામણોને કેંદ્ર સરકારે સ્વીકારી લીધી

વિદેશમાં નિર્મિત કોરોના રસી, જે વિવિધ દેશોમાં ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, તેને ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવશે.

રસીકરણ અભિયાનને વેગ આપવા માટે, વિદેશ નિર્મિત કોરોના રસી, જે વિવિધ દેશોમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, તેને ભારતમાં આયાત કરવામાં આવશે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ 19ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના વિરુદ્ધની રસીઓ જે વિદેશમાં બનાવવામાં આવે છે અને જેને USFDA, EMA, UK MHRA, PMDA, જાપાન દ્વારા WHO યાદીમાં સામેલ છે

કેન્દ્ર સરકાર વિદેશી બનાવટની રસી આયાત કરશે. રસીકરણ અભિયાનને ઝડપી બનાવવા માટે, વિદેશી નિર્મિત કોરોના રસી, જેને વિવિધ દેશોમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, તે ભારતમાં આયાત કરવામાં આવશે.

NEGVAC એ પણ પ્રસ્તાવ મૂક્યો છે કે વિદેશમાં બનાવવામાં આવતી રસી ભારતમાં આયાત કરવામાં આવશે. તે પહેલા માત્ર 100 લોકોને આપવામાં આવશે અને તેઓનું નિરીક્ષણ 7 દિવસ સુધી કરવામાં આવશે. તે પછી જ રસીકરણ અભિયાનમાં તેનો સમાવેશ કરવામાં આવશે.

છેલ્લા 24 કલાકમાં, 1,61,736 નવા COVID-19 કેસ નોંધાયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે દેશમાં દોઢ લાખથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના ચેપને કારણે 879 લોકોનાં મોત નીપજ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.