ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારાની એન્ટ્રી પર મુક્યો પ્રતિબંધ,આ પ્રતિબંધ 11 એપ્રિલથી શરુ થશે

ભારતની સ્થિતિને જોતા ન્યૂઝીલેન્ડે મહત્વનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડે ભારતથી આવનારા પ્રવાસીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા આર્ડેને એલાન કર્યુ છે કે ભારત આવનારા લોકોની એન્ટ્રી 11 એપ્રિલથી 28 એપ્રિલ સુધી રોકી દેવામાં આવી છે.

એટલે કે હવે 28 એપ્રિલ બાદ ભારતમાંથી કોઈ ન્યૂઝીલેન્ડ  જઈ શકશે. જો કે આ કડકાઈ આગળ લાગૂ રહેશે તેના પર નિર્ણય ત્યારની સ્થિતિને જોઈને લેવામાં આવશે.

આ સમયે ભારતમાં જે પ્રકારે કોરોનાના નવા મામલા આવી રહ્યા છે.  તે દુનિયામાં સૌથી તેજીથી વધનારા દેશમાંનો એક છે. ગત 4 દિવસોમાં ભારતમાં લગભગ 5 લાખ કેસ સામે આવી ચૂક્યા છે. ફક્ત 2 દિવસમાં જ લગભગ દોઢ લાખ મામલા સામે આવ્યા છે

ઉલ્લેખનીય છે કે શુક્રવારે શરુ થઈ રહેલા આઈપીએલમાં ન્યૂઝીલેન્ડના અનેક ખેલાડી ભાગ લઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.