નિર્ભયા કાંડ નાં દોષીઓને થશે 3 માર્ચના દિવસે ફાંસી, નવું ડેથ વોરન્ટ જાહેર

નિર્ભયા ગેંગરેપ કેસનાં દોષિતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે સોમવારનાં લગભગ એક કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. નિર્ભયાનાં દોષિતોને 3 માર્ચનાં દિવસે સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ પહેલા ઠીક 2 વાગ્યે શરૂ થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે 3 દોષિતો અક્ષય, વિનય અને મુકેશની દયા અરજી ફગાવવામાં આવી ચુકી છે.

એક દોષી પવન તરફથી આ મામલે દયા અરજી અને ક્યૂરેટિવ પિટિશન દાખલ કરવાની બાકી છે. સરકારી વકીલે કહ્યું કે હાઇકોર્ટ તરફથી આપવામાં આવેલી એક અઠવાડિયાની મુદ્દત પણ 11 ફેબ્રુઆરીનાં પૂર્ણ થઈ ચુકી છે. તેમણે દલીલ કરી કે અત્યારે કોઇપણ દોષીની કોઈપણ અરજી કોઈપણ કોર્ટમાં પેન્ડિંગ નથી તેથી નવું ડેથ વોરન્ટ જાહેર કરી શકાય છે.

સરકારી વકીલની દલીલ બાદ દોષિતોનાં વકીલ એપી સિંહે કહ્યું કે વિનયની માનસિક સ્થિતિ ઠીક નથી. તેમણે કહ્યું કે તેની હાલત એટલી ખરાબ છે કે તેણે 11 ફેબ્રુઆરીથી ખાવા-પીવાનું બંધ કરી દીધું છે. એપી સિંહે કોર્ટને જણાવ્યું કે આજે વિનયની મા જેલમાં તેને મળવા માટે આવી હતી. વિનયનાં માથા પર પાટા બાંધેલા હતા. આ ગંભીર મામલો છે. તેમણે કોર્ટને વિનયની મેડિકલ રિપોર્ટ મંગાવવાની માંગ કરી અને કહ્યું કે તેના માથામાં પણ ઘણી ઇજાઓ થઈ છે. જેલ સુપરિટેંડેટ પાસેથી રિપોર્ટ મંગાવતા જેલ મેન્યુઅલનું ધ્યાન રાખવાનું કહેવામાં આવવું જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.