ભાજપમાં ભરતી અભિયાન ચાલુ કોઈ પણ હોય ચાલશે.આ ભરતી માટે ટેબલ નીચે વ્યવહાર હોય છે.?

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપવાના મુદ્દે પાયાના કાર્યકરોમાં નારાજગીનું રોષ ફેલાયો છે. છગન મેવાડા ને ભાજપમાં પ્રવેશ અપાતા જ માજી કોર્પોરેટર રાજુ અગ્રવાલે સવાલો ઉઠાવ્યા છે કે ભાજપને હવે પોતાના પાયાના કાર્યકરો પર જ ભરોસો નથી.?

ધીરુ ગજેરાને ભાજપમાં પ્રવેશ અપાતા પ્રજાપતિ પર ભાજપના કાર્યકરોમાં નારાજગી અને રોષ ફેલાયો છે. ધીરુ ગજેરા ના પગલે કોંગ્રેસ અને આપના કાર્યકરોને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે. ત્યારે રવિવારે છગન મેવાડા ને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

રાજુ અગ્રવાલની ફેસબુક પોસ્ટ પર માજી કોર્પોરેટર હિંમત બેલડીયાએ કોમેન્ટ કરી હતી કે આ ભરતી માટે ટેબલ નીચે વ્યવહાર હોય છે? ભરતી હેડ કોણ છે? શું દશા બેઠી છે કાયૅકરોની ? આ પોસ્ટ અને કાર્યકર્તાઓની કોમેન્ટ ચચાઁનો વિષય બની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.