પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા જ ખટરાગ,જૂના નેતાઓ અને નવા નેતાઓમાં અનેક મુદ્દાને લઈને ચિંતા

એક તરફ જ્યાં ભાજપ મમતા બેનર્જીની સરકારને ઉખાડીને ફેકવાનો પ્લાન બનાવી રહી છે ત્યારે અન્ય તરફ પાર્ટીના જૂના નેતા અને નવા નેતાઓમાં ટિકિટના મુદ્દા સહિત અનેક મુદ્દે ખેંચતાણ શરૂ થઈ છે.

ચૂંટણીની રણનીતિના આધારે અનેક અન્ય દળના વરિષ્ઠ નેતાઓએ પણ બંગાળમાં ભાજપનો હાથ થામ્યો છે. ભાજપના સૂત્રો કહે છે કે અનેક એવા વરિષ્ઠ નેતા પણ ભગવા દળમાં સામેલ થયા છે જેમની સાથે પાર્ટીના જૂના નેતાઓના પ્રતિદ્વંદીમાં રહેનારા સમયે ખેંચતાણ કરી ચૂક્યા છે.

ભાજપના વરિષ્ઠ નેતાના આધારે આ રણનીતિને અપનાવવાથી પાર્ટીને શરૂઆતમાં ફાયદો મળશે જેનાથી તૃણમૂલ કોંગ્રેસને ડૂબાડી શકાશે. આ પછી આ પાર્ટીમાં આંતરિક ક્લેશ કારણ બનીને આવ્યો તેઓએ કહ્યું કે તેનાથી ભાજપના ભ્રષ્ટાચારના વિરુદ્ધની લડાઈની છવિને નુકસાન થયું છે કેમકે પાર્ટીમાં સામેલ થનારા અનેક નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોછે.  તેઓએ એમ પણ કહ્યું કે પાર્ટીએ હાલમાં રણનીતીમાં ફેરફાર કર્યો છે અને સાથે મોટા સ્તરે નેતાઓને સામેલ કરવાનું  બંધ કર્યું છે.

રોજના પાર્ટીના જૂના નેતાઓઅને નવા સામેલ થયેલા નેતાઓના આંતરિક ક્લેશની વાતો પણ સામે આવી રહી છે. અમને ચિંતા છે કે ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ આ અસંતોષ વધી શકે છે.

ઘોષે કહ્યું કે ભાજપ એક મોટો પરિવાર છે, જ્યારે પરિવાર વધે છે તો તેમાં આવી મુશ્કેલીઓ આવે છે. જો આપણે અન્ય દળના નેતાઓને સામેલ નહીં કરીએ તો પાર્ટીનો વિસ્તાર કેવી રીતે થશે. દરેક પાર્ટીના નિયમોનું પાલન કરવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ પાર્ટીથી ઉપર નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.