પાક PM ઇમરાન ખાનની ડંફાસ, 5 ઓગસ્ટ ભારતની મોટી ભૂલ, ફસાયા છે મોદી

એકપએક વરઆજના જ દિવસે ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દીધો હતો. તે સાથે જ તેને અપાયેલા વિશેષ અધિકાર પણ પાછા લઈ લીધા હતા. ત્યારથી પાકિસ્તાન ધૂંઆપૂંઆ છે.

ત્યાં સુધી કે એક દિવસ પહેલા જ પાકિસ્તાન પોતાનો નવો નકશો જાહેર કરતા કાશ્મીરના વિવાદિત ક્ષેત્રોને પોતાના કહી દીધા છે. તે પછી બુધવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, ભારતે ગત વર્ષે ઉઠાવેલું પગલું એક મોટી ભૂલ હતી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ફસાઈ ગયા છે.

ખાને બુધવારે કહ્યું કે, કાશ્મીરને ભારત પાસેથી જલદી આઝાદ કરી લેવાશે. ખાને કહ્યું કે, પીએમ મોદીએ ગત વર્ષે 5 ઓગસ્ટે એક મોટી ભૂલ કરી. તેમણે કહ્યું કે, ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલા આર્ટિકલ 370 હટાવવામાં ડર લાગી રહ્યો હતો.

પરંતુ ચૂંટણી જીત્યા બાદ હિંદુવાદી વોટબેંકને ખુશ કરવા માટે આટલું ખોટું પગલું ઉઠાવ્યું.’ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, મોદી સરકારને એમ હતું કે, કાશ્મીરમાં ‘RSSના ઠગો’ને આતંકવાદ માટે છોડી દેવાશે, જેનાથી કાશ્મીર હાર માની લેશે.

ખાને કહ્યું કે, મોદીને લાગ્યું કે, પાકિસ્તાન ચૂપ રહેશે, કેમકે તે દોસ્તી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ખાને કહ્યું કે, ‘અમારી સરકાર આવ્યા પહેલા જ્યારે ભારત કાશ્મીરમાં પેલેટ ગનનો ઉપયોગ કરી રહ્યું હતું, ત્યારે તેની કોઈ વાત કરતું ન હતું.

પાકિસ્તાન પણ કંઈ નહોંતું કરતું અને સંયુક્ત રાષ્ટ્ર પણ.’ તેમણે કહ્યું કે, ભારતે અહંકારમાં 5 ઓગસ્ટનું પગલું ઉઠાવ્યું. પીએમ મોદીને લાગ્યું કે, દુનિયા ભારતનો સાથ આપશે, કેમકે પશ્ચિમ ચીનની સામે ભારતનો ઉપયોગ કરવા ઈચ્છે છે.

તેના એક દિવસ પહેલા મંગળવારે પાકિસ્તાન સરકારે દેશનો નવો નકશો રજૂ કર્યો છે, જેમાં કાશ્મીરના વિવાદિત ક્ષેત્રોને પોતાના જણાવવા ઉપરાંત ગુજરાતના જુનાગઢ, માણાવદર અને કચ્છના રણમાં સરક્રીક પર પણ પોતાનો દાવો કર્યો છે. કાશ્મીરમાં તેણે સિયાચીનને પોતાનું જણાવ્યું છે, તો જ્યાં ચીનની સરહદ છે તેવા વિસ્તારને ‘અનડિફાઈન્ડ ફ્રન્ટિયર’ ગણાવ્યા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.