પરમબીર સિંહની સુપ્રીમ કોર્ટમાં અરજીનો મામલો,બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

મુંબઈ પોલીસ કમિશનર પરમબીરની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું છે કે આ આરોપ ગંભીર છે પરંતુ આ મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટ કેમ કરે? હાઇકોર્ટ કેમ નહીં?

જે બાદ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે આ મામલામાં તમે આરોપ લગાવી રહ્યા છો, મંત્રી જુદા આરોપ લગાવી રહ્યા છે. આ મામલે હાઇકોર્ટ સુનાવણી કેમ ન કરી શકે? અમે માનીએ છીએ કે મામલો ખૂબ ગંભીર છે અને આ મામલે સુનાવણી હાઇકોર્ટ કરી શકે છે. તમારી જે માંગ છે તે હાઇકોર્ટની સામે જઈને મૂકો

બીજી તરફ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા કેટલાક દિવસથી ઠાકરે સરકાર પર આ મુદ્દા પર આક્રમક છે અને હુમલાઑ કરી રહ્યા છે ત્યારે આજે તેમણે રાજ્યના રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે કહ્યું કે સચિવ વાઝે અને વસૂલી કેસમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ચૂપ છે, એક શબ્દ પણ બોલી નથી રહ્યા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.