અહીં તબીબો ગાય છે ગીત, કરે છે ડાન્સ,પારૂલ સેવાશ્રમ કોવિડ સેન્ટરનો નવતર પ્રયોગ

કોરોનાના કહેરની વચ્ચે દર્દીઓને તણાવમુક્ત રાખવાનો એક સરસ  પ્રયોગ કરવામાં આવ્યો છે. હાલ જ્યારે મહામારી ચાલી રહી છે ત્યારે તેની સામે લડવા માટે સકારાત્મક ઉર્જા જ તમને સાથ સહકાર આપશે.

એટલું જ નહીં દર્દીઓ પણ ઘડીક પોતાનું દર્દ ભૂલીને મસતીમાં જોડાયા હતા. દર્દીઓની સારવાર માટે સંગીત થેરાપી પણ એક મહત્વનો પ્રયોગ છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 8,152 કેસ નોંધાયા છે તો 81 લોકોની મોત છેલ્લા 24 કલાકમાં નોંધાઈ છે.

ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 267 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 44,298 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.