વેક્સિનનાં ડોઝ લીધાં બાદ આ બિમારીથી પીડાતા લોકો રહે એલટૅ.

કોવિડ-19 વેક્સિન પ્રત્યારોપિત દર્દીઓમાંથી એક તૃતિયાંશમાં વેક્સિન અસરકારક જોવા મળી નથી, જ્યારે અભ્યાસ હેઠળના 25 ટકા દર્દીઓમાં ધારણા કરતા નીચા સ્તરે જોવા મળ્યા.

ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર ( IKDRC) એક નિવેદનમાં જણાવ્યું કે, કોવિડ વેક્સિન (vaccination) ના બન્ને ડોઝ લીધા બાદ પણ પ્રત્યારોપણ કરાયેલા દર્દીઓએ ‘કોવિડ એપ્રોપાઇટ બિહેવીયર’નું કડક પાલન કરવું જોઈએ.

કોવિડ વેક્સિન (corona vaccine) ના બન્ને ડોઝ લીધા બાદ કિડની પ્રત્યારોપિત દર્દીઓ (kidney patients) માં રોગપ્રતિકારક શક્તિના પ્રતિભાવનો અભ્યાસ કરવા માટે આઈકેડીઆરસી દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસથી બહાર આવ્યું છે કે કોવિડ-19 વેક્સિન પ્રત્યારોપિત દર્દીઓમાંથી એક તૃતિયાંશમાં વેક્સિન અસરકારક જોવા મળી નથી, જ્યારે અભ્યાસ હેઠળના 25 ટકા દર્દીઓમાં ધારણા કરતા નીચા સ્તરે જોવા મળ્યા છે. જોકે, વિશાળ સંખ્યામાં દર્દીઓ માટે તેની અસરકારકતાની પુષ્ટિ કરતા 50 ટકા દર્દીઓમાં વેક્સિન સંપૂર્ણ અસરકારક હોવાનું જણાયું હતુ.

પોસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ કિડની (kidney transplant) દર્દીઓમાંથી એક-તૃતિયાંશમાં એન્ટિ-બોડી ફોર્મેશનના અભાવ માટે એકમાત્ર કારણ ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓ છે તેમ IKDRC-આઇટીએસના ડિરેક્ટર અને અભ્યાસ જૂથના સભ્ય ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું. અભ્યાસમાં આવરી લેવાયેલા પ્રત્યારોપિત દર્દીઓમાં હાઈપરટેન્શન અને ડાયાબિટિશ જેવી કો-મોર્બેડિટિસ ધરાવતા 46થી 71 વય જૂથના દર્દીઓનો સમાવેશ થતો હતો. આ દર્દીઓમાંથી 50 ટકામાં વેક્સિન હજુ પણ અસરકારક છે. જોકે, પ્રત્યારોપણ કરાયેલા દર્દીઓ માટે કોવિડ વેક્સિન ડોઝની સંખ્યા સૂચવવી તે ભવિષ્યના સંશોધનનો વિષય છે. ગત વર્ષે મહામારી ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધી આઈકેડીઆરસીએ 300થી વધુ કોવિડ પોઝિટિવ ટ્રાન્સપ્લાન્ટેડ દર્દીઓની 10 ટકા મૃત્યુદર સાથે સારવાર કરી છે.કોવિડ-19 માટે એક ચોક્કસ ઉપચાર શોધવાની પણ ખાસ જરૂર છે.

કારણ કે પ્રત્યારોપણ કરાયેલા દર્દીઓમાં વેક્સિનની અસરકારકતાનો અહેવાલ ચિંતાજનક છે. અભ્યાસના ભવિષ્યના સૂચિતાર્થોએ વેક્સિન લીધી હોય તેવા દર્દીઓના પરિણામો, વિવિધ રસીઓની અસરકારકતા, ડોઝ, શેડ્યુલ્સ, સેરો-પ્રોટેક્શન લેવલ અને કિડની પ્રાપ્તકર્તાઓમાં એન્ટિબોડી ટકાઉપણું અંગેના અહેવાલ સાથે વધુ સંશોધન કરવાની જરૂરિયાતને પ્રકાશિત કરી છે. અભ્યાસની વિગતો યુએસ સ્થિત ‘અમેરિકન જર્નલ ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન’ સાથે પ્રકાશન માટે વહેંચવામાં આવી છે. જો કે, કોવિન એપ્લિકેશને હવે રોગપ્રતિકારક શક્તિના સ્તરમાં વધારો કરવાના હેતુસર 84 દિવસ પછી બીજા ડોઝ માટે બુકિંગની મંજૂરી આપી છે. બે ડોઝ વચ્ચેના અંતરને વધારી દેવામાં આવ્યું છે, જે પ્રત્યારોપણ પ્રાપ્તકર્તાઓ સહિત સામાન્ય વસ્તીમાં એન્ટીબોડી લેવલ્સ (અસરકારકતા) માં વધારશે તેમ ડૉ. મિશ્રાએ જણાવ્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.