પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો પાછો લે સરકાર: સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર

દેશ અત્યારે કોરોના વાઈરસના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને લૉકડાઉનના કારણે ધંધા-રોજગાર પર મોટી અસર પડી છે. આ સંકટ વચ્ચે છેલ્લા લગભગ 10 દિવસથી દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થઈ રહી છે.

આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ લખ્યુ કે સંકટ સમયમાં પણ આપની સરકાર સતત ભાવ વધારી રહી છે અને આનાથી સેંકડો કરોડ રૂપિયા કમાવી ચૂક્યા છે. સોનિયા ગાંધીની માગ છે કે સરકાર તાત્કાલિક ભાવવધારો પાછો લે.

સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં લખ્યુ કે સરકારે લૉકડાઉન વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને લગભગ 2.6 લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે. આવા સમયે જ્યારે લોકો સંકટમા છે ત્યારે આ રીતે ભાવ વધારવો જનતા પર વધુ સંકટ આવી રહ્યુ છે. એવામાં સરકારની ફરજ બને છે કે લોકોના સંકટને દૂર કરે.

કોંગ્રેસ અધ્યક્ષે લખ્યુ કે મને સમજાઈ નથીરહ્યુ કે, જ્યારે દેશમાં આટલી નોકરીઓ જઈ રહી છે અને લોકોને જીવવા માટે સંકટ ઉભુ થઈ રહ્યુ છે ત્યારે સરકાર આ રીતે ભાવ કેમ વધારી રહી છે. આજે ક્રૂડ ઑયલના ભાવ સતત ઘટી રહ્યા છે અને સરકારે છેલ્લા 6 વર્ષમાં સતત ભાવ વધાર્યા છે.

સોનિયા ગાંધીએ લખ્યુ કે સરકાર તરફથી છેલ્લા 6 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા એક્સાઈઝ ડ્યુટી વધારી છે. જેનાથી લગભગ 18 લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે.

સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તાત્કાલિક જ આ ભાવવધારો પાછો લઈ લો અને સામાન્ય લોકોને રાહત પહોંચાડો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસથી દરરોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. મંગળવારે પણ પેટ્રોલમાં 47 પૈસા અને ડીઝલમાં 75 પૈસાનો વધારો કરવામાં આવ્યો. આ સાથે દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ 76.73 રૂપિયા અને ડીઝલનો ભાવ 74.62 રૂપિયા થઈ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.