પેટ્રોલ પંપ ખોલવા માટે સરકારે જાહેર કરી નવી નીતિ, હવે કંપનીઓને કરવું પડશે આ કામ

સરકારે મંગળવારે ઈંધણ ક્ષેત્રે નવી ઉદારીકૃત ખુદરા નીતિ જાહેર કરી છે. જેના હેઠળ ઈંધણના ખુદરા વેચાણના ક્ષેત્રમાં ઉતરતી કંપનીઓને દેશભરમાં ઓછામાં ઓછા 100 પેટ્રોલ પંપ લગાવવા પડશે અને તેમાંથી 5 ટકા પેટ્રોલ પંપ દૂરનાં વિસ્તારોમાં સ્થાપિત કરવાની પણ શરત રાખવામાં આવી છે. સરકારે ગત મહિને જ કંપનીઓ માટે પેટ્રોલ પંપ ખોલવાનાં નિયમોમાં ઢીલ આપી હતી.

સરકારે ગેર પેટ્રોલિયમ કંપનીઓનાં આ ક્ષેત્રમાં ઉતરવા માટે અનુમતિ આપી દીધી છે. નવી નીતિ પ્રમાણે દેશમાં પેટ્રોલ પંપનું લાયસન્સ મેળવવા માટે સંશોધિત પ્રાવધાનો હેઠળ સંબંધિત કંપનીઓને ન્યુનતમ 100 પેટ્રોલ પંપ લગાવવા પડશે, જેમાં ઓછામાં ઓછા પાંચ ટકા પેટ્રોલપંપ રિમોટ એરિયામાં સ્થાપિત કરવા પડશે. એક રાજપત્ર અધિસૂચનામાં પેટ્રોલ પંપ લગાવવાને લઈ સંશોધિત પ્રાવધાનોની જાણકારી આપી છે.

જે હેઠળ લાયસન્સ મેળવનાર કંપનીને પેટ્રોલ પંપ પરિચાલન શરૂ કર્યાનાં 3 વર્ષની અંદર સીએનજી, બાયો ફ્યુલ, એલએનજી, ઈલેકટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન વગેરે જેવાં વૈકલ્પિક માધ્યમોમાંથા કોઈપણ એક સુવિધા લગાવવી પડશે. આ પહેલાં પેટ્રોલ પંપ લાયસન્સ મેળવવા માચે એક કંપનીને પેટ્રોલિયમ ક્ષેત્રમાં બે હજાર કરોડનું રોકાણ કરવાની શરત રાખવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.