પીએફ મેળવતા કર્મચારીઓ માટે મોટા સમાચાર,ઇન્કમ ટેક્સમાંથી મળશે રાહત

લોકો જેમના પીએફ ખાતામાં એમ્પ્લોયર તરફથી કોઇ યોગદાન નથી આવતુ તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે.

લોકસભામાં નિર્મલા સીતારમણે કહ્યું કે આનાથી પ્રોવિડેન્ટ ફંડમાં 1 ટકા લોકો પર જ અસર પડશે. કારણકે બાકીના લોકોના પીએફમાં વાર્ષિક યોગદાન 2.5 લાખ રૂપિયા કરતા ઓછુ છે.

આ ફાયદો તે લોકોને મળશે જે વોલિંટીયરી પ્રોવિડેન્ટ ફંડ એટલેકે વીપીએફ અને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એટલે કે પીપીએફમાં રોકાણ કરે છે.

નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં નાણામંત્રીએ આ નિયમ મૂક્યો હતો કે 1 એપ્રિલથી વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધારે પ્રોવિડેન્ટ ફંડ જમા કરાવનાર લોકોને મળનાર ટેક્સ આ હેઠળ આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.