ભરૂચના આમોદમાં PM રૂ. 8000 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે..

આજ રોજ સવારે 11 કલાકે વડાપ્રધાન ભરૂચના આમોદ ખાતે રાષ્ટ્રને સમર્પિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ભરૂચના આમોદમાં રૂ. 8000 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પી.એમ. નો આજે બીજા દિવસનો પ્રવાસ છે.

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના બીજા એક પગલામાં, પ્રધાનમંત્રી જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે. 2021-22માં, કુલ ફાર્માસ્યુટિકલ આયાતમાં બલ્ક દવાઓનો હિસ્સો 60% હતો.
આ પ્રોજેક્ટ આયાત ભારતને બલ્ક ડ્રગ્સ માટે આત્મનિર્ભર બનાવવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. વડાપ્રધાન દહેજ ખાતે ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
જે ઔદ્યોગિક વસાહતોમાંથી ટ્રીટેડ ગંદા પાણીના નિકાલમાં મદદ કરશે. અન્ય પ્રોજેક્ટ કે જેનો શિલાન્યાસ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. તેમાં અંકલેશ્વર એરપોર્ટનો ફેઝ 1 અને અંકલેશ્વર અને પાનોલી ખાતે મલ્ટિલેવલ ઈન્ડસ્ટ્રીયલ શેડનો વિકાસ સામેલ છે. જે MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.
વડાપ્રધાન બહુવિધ ઔદ્યોગિક ઉદ્યાનોના વિકાસ માટે ભૂમિપૂજન કરશે.
 જેમાં વાલિયા (ભરૂચ), અમીરગઢ (બનાસકાંઠા), ચકલીયા (દાહોદ) અને વનાર (છોટા ઉદેપુર)માં ચાર આદિવાસી ઔદ્યોગિક ઉદ્યાનોનો સમાવેશ થાય છે.
 આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ઘણા પ્રોજેક્ટ્સનું સમર્પિત કરશે. જે રસાયણ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તેમાં પણ દહેજ ખાતે 130 મેગાવોટના સહઉત્પાદન પાવર પ્લાન્ટ સાથે સંકલિત 800 TPD કોસ્ટિક સોડા પ્લાન્ટ સમર્પિત કરશે. આ સાથે, તેઓ દહેજ ખાતેના હાલના કોસ્ટિક સોડા પ્લાન્ટ પણ સમર્પિત કરશે, જેની ક્ષમતા 785 MT/દિવસથી વધારીને 1310 MT/દિવસ કરવામાં આવી છે.
 વડાપ્રધાન દહેજ ખાતે વાર્ષિક એક લાખ મેટ્રિક ટન ક્લોરોમેથેન્સના ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ પણ સમર્પિત કરશે. અન્ય પ્રોજેક્ટ જે વડાપ્રધાન દ્વારા સમર્પિત કરવામાં આવશે તેમાં દહેજ ખાતે હાઈડ્રાઈઝિન હાઈડ્રેટ પ્લાન્ટનો સમાવેશ થાય છે જે ઉત્પાદનના આયાત અવેજીમાં મદદ કરશે, IOCL દહેજ-કોયલી પાઈપલાઈન પ્રોજેક્ટ, ભરૂચ ભૂગર્ભ ગટર અને STP કાર્ય અને ઉમલ્લા આસા પાનેથા રોડને પહોળો અને મજબૂત કરવામાં મદદ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.