PM મોદીએ ગુજરાતને કરી 1 હજાર કરોડની સહાયની જાહેરાત,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (narendra modi) ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (narendra modi) ગુજરાતમાં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. બેઠક પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. જો કે, વાવાઝોડાથી થયેલા નુકસાનને પહોંચી વળવા કેન્દ્ર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ગુજરાતને રૂપિયા 1 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં વિનાશ સર્જાયો છે. જેને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત આવી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ 1 કલાકને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ  ભાવનગર એરપોર્ટ પહોંચ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.