પીએમ મોદીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માગ, આ સંસ્થાએ નોબેલ ફાઉંડેશનને લખ્યો પત્ર

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પોતાના દેશમાં નાગરિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તે સત્તાના ખોટા કામોની ટીકા અને નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષાના અધિકારને પ્રોત્સાહન આપે છે. 1901 અને 2023 સુધી 111 વ્યક્તિઓ અને 30 સંગઠનનોને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

હિન્દુ સેનાએ પ્રધાનમંત્રી મોદીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની માગ કરી છે. હિન્દુ સેનાના સંસ્થાપક અને અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ નોબેલ ફાઉંડેશનને એક પત્ર મોકલ્યો છે. પત્ર ફાઉંડેશનના સત્તાવાર ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવ્યો છે. પોતાના પત્રમાં સંસ્થાએ લખ્યું છે કે, એક વિશ્વ નાગરિકના નાતે મારુ માનવું છે કે, પીએમ મોદીએ દુનિયામાં શાંતિ, કૂટનીતિ અને માનવીય સહાયતાની દિશામાં જેટલા કામ કર્યા છે, તે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર યોગ્ય ઉમેદવાર બનાવે છે. પીએમ મોદીએ ઘરેલૂ અને દુનિયામાં દરેક જગ્યાએ શાંતિને સ્થાપિત કરવાની દિશામાં ઉલ્લેખનિય કામ કર્યું છે.

હિન્દુ સેનાએ કહ્યું કે, પીએમ મોદીની લીડરશિપમાં હિન્દુસ્તાને ક્ષેત્રિય સહયોગ અને સંઘર્ષોના ખતમ કરવામાં એક મોટી મહત્વની ભૂમિકા નિભાવી છે. પીએમ મોદીનો સબકા સાથ, સબકા વિકાસનો દ્રષ્ટિકોણ ભારત અને તેની સરહદોને આગળ જઈને પણ માનવ સમુદાયના સામૂહિક વિકાસ વિશે તેમના સમર્પણને સામે રાખે છે. હિન્દુ સેનાએ નોબેલ ફાઉંડેશનને મોકલેલા પત્રમાં લખ્યું છે કે, પીએમ મોદીનું સૌથી મોટું યોગદાન ભારતના પાડોશી દેશો સાથે કૂટનીતિક સંબંધોને મજબૂત બનાવે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.