PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટને ફટકો, 2017 માં શરૂ થયેલ રો-રો ફેરી કંપનીએ વેચવા મુકી

  1. ભાવનગરના ઘોઘાથી દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સેવાનું આખરે ધીમેધીમે બાળમરણ થવા જઈ રહ્યું હોઈ તેવા દિવસો સામે આવી રહ્યાં છે. દહેજ-ઘોઘા રો-રો ફેરી પ્રોજેક્ટ અમલમાં નહોતો મૂકાયો ત્યારથી જ ચર્ચામાં રહ્યો છે.

હાલ દહેજ-ઘોઘા રો-રો ફેરી માટે ઉપયોગમાં લેવાતું જહાજ કંપનીએ વેચવા કાઢ્યું છે. સુરતની ઈન્ડિગો સીવેવ્સ નામની કંપની દહેજ-ઘોઘા રો-રો ફેરીનું સંચાલન કરે છે. આ કંપની દ્વારા સર્વિસ શરૂ કરાઈ ત્યારે જેડ આયલેન્ડ નામનું જહાજ ખરીદવામાં આવ્યું હતું. જેમાં માત્ર પેસેન્જરો જ સવાર થઈ શકતા હતા.

નોંધનીય છે કે, PM મોદીએ આ જ જહાજ બેસીને રો રો ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીએ આ જહાજ વેચવા વર્તમાનપત્રમાં જાહેરખબર આપી છે. કંપનીના માલિકના જણાવ્યા મુજબ કંપની જંગી ખોટ કરી રહી છે અને આથી જ જેડ આયલેન્ડ નામનું જહાજ વેચી દેવાની કંપનીની ગણતરી છે. જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સે PM મોદીને પત્ર લખ્યો છે અને રોજગારીને અસર થશે તેવી ભીતિ વ્યક્ત કરીને રો-રો ફેરી વ્યવસ્થિત રીતે શરૂ થાય તે માટે પ્રયત્ન કરવા કહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.