પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષનું નિવેદન,PM મોદીએ કૂચ બિહારની રેલીમાં કર્યો છે મોટો દાવો

પીએમ મોદીએ કૂચબિહારની રેલીમાં કહ્યું કે જો હું કહું છું કે તમામ હિંદુઓ એકસાથે થઈ જાઓ તો મને ચૂંટણી આયોગની નોટિસ આવી હોત. એટલે કે મોદી જે કહેવા ઈચ્છતા હતા તે કહી ગયા.

અમિત શાહ તો 200થી વધારે સીટ જીતવાનો દાવો પણ કરી રહ્યા છે. મોદી-શાહના દાવા કેટલા સાચા છે તે 2 મહિના બાદ મેમાં ખબર પડશે.

ખડગપુરની રેલીમાં મોદીએ દિલિપ ઘોષના વખાણ કર્યા અને કોઈ મોટો સંકેત આપ્યો નથી. ભદ્રલોક પર ઘોષ પોતાના પર હુમલો ઝેલીને ભાજપનો ઝંડો બુલંદ કરતા આવ્યા છે. ત્યારે જ પીએમ મોદીએ કહેવું પડ્યું કે અમારી પાસે દિલિપ ઘોષ જેવા નેતા છે અને મને વિશ્વાસ છે કે બંગાળમાં અમારી સરકાર આવવા જઈ રહી છે.

ભાજપના 120 જેટલા કાર્યકરોએ પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે જેથી બંગાળ આબાદ રહે. દિલિપ ઘોષ ક્યારેય આરામથી સૂતા નથી અને ન તો દીદીની ધમકીઓથી ડર્યા છે.

હિંદુ જાગરણ મંચના પ્રચારકથી ભાજપના અધ્યક્ષ બનેલા દિલિપ ઘોષે ટીએમસીને તેની ભાષામાં જવાબ આપવાની રણનીતિ બનાવી છે. જ્યારે ગર્દનના બદલે ગર્દન તોડી દઇશુંના નિવેદન તેઓએ આપ્યા તો તેમની ટીકા થઈ પણ કાર્યકર્તાના અપમાનને સહન ન કરવાનો સંકલ્પની આડમાં તેઓ યોગ્ય પૂરવાર થયા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.