પ્રહલાદ મોદીએ, પોતાના સમર્થકોની ધરપકડ બાદ, પોલીસ વિભાગ સામે, વ્યક્ત કર્યો હતો આક્રોશ

લખનઉ પોલીસની કાર્યશૈલી સામે વિરોધ વ્યક્ત કરવા માટે પ્રહલાદ મોદીએ આ પગલું ભર્યું હતું. અહેવાલો અનુસાર પોતાના ૧૦૦ જેટલા સમર્થકોને પોલીસે પકડી લેત નારાજ મોદી ધરણા પર બેસી ગયાં હતાં એટલું જ નહીં પોતાના કાર્યકરોને તત્કાળ છોડી દેવામાં માટે તેમણે ઉપવાસ ઉપર ઊતરી જવાની પણ ધમકી ઉચ્ચારી હતી.

પ્રહલાદ મોદીના જણાવ્યા અનુસાર ચાર ફેબ્રુઆરીએ સુલતાનપુરમાં, પાંચ ફેબ્રુઆરીએ બોનપુરમાં અને છઠ્ઠી ફેબ્રુઆરીએ પ્રતાપગઢમાં તેમનો કાર્યક્રમ હતો તેના માટે થઇને તેઓ લખનઉ એરપોર્ટ પર આવ્યા હતાં.

લખનઉ પહોંચ્યા બાદ તેમને જાણકારી મળી હતી કે તેમના સ્વાગત માટે જે કાર્યકરો આવ્યા હતાં તેમને પોલીસે પકડી લીધા હતા. પોતાના સમર્થકોની ધરપકડ બાદ તેમણે પોલીસ વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પ્રહલાદ મોદી અને તેમના કેટલાક સમર્થકો દ્વારા સૂત્રોચ્ચાર કરાતા પોલીસ તંત્ર પણ સક્રિય થયું હતું. લખનઉના કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ મુદ્દે નોંધ લીધી હતી અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું કરાયું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.