આજથી એક મહિના સુધી સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનશે ‘પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ’ – આજે PM મોદી કરશે ઉદ્ઘાટન

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવનો આજ 14 ડિસેમ્બરથી અમદાવાદ(Ahmedabad)ના ઓગણજ ખાતે શુભારંભ થઇ રહ્યો છે અને આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડ(Sardar Patel Ring Road)ના કિનારે 600 એકર જમીન પર એક ભવ્ય સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે અને આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે અને સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ ચાલશે.

મહત્વનું છે કે, 14 ડિસેમ્બરના રોજ સાંજે 5.00 થી 7.30 દરમ્યાન મહોત્સવના પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે વિરાટ જનમેદનીની ઉપસ્થિતિમાં મહોત્સવનું શાનદાર ઉદઘાટન થવા જઈ રહ્યું છે અને આ સાથે જ નારી ઉત્કર્ષ મંડપમમાં રોજ બપોરે 2.30 થી 4.30 દરમ્યાન મહિલા કાર્યક્રમોની અદભુત પ્રસ્તુતિઓ થશે, જેમાં ભારત અને વિદેશના મહિલા મહાનુભાવો દ્વારા પણ મંચ પરથી વિદ્વત્તાસભર સંબોધનોનો લાભ આપવામાં આવશે. ‘નારાયણ સભાગૃહ’માં રોજ સાંજે 5.00 થી 7.30 દરમ્યાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓની હાજરીમાં હજારો લોકોની મેદની વચ્ચે વિવિધ વિષયક સભાકાર્યક્રમો થશે.

PM મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોતક વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને નવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે અને દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે.

શતાબ્દી મહોત્સવમાં 20 હજાર રૂમનું થઇ ચુક્યું છે એડવાન્સ બુકિંગ:
પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે 1 મહિનામાં કુલ 3 લાખ જેટલા NRI આવશે અને જેને લઈ અમદાવાદની તમામ ફાઇવ સ્ટાર હોટેલના 90 ટકા અને અને ફોર સ્ટાર હોટેલોના 70 ટકા જુદી જુદી કેટેગરીના રૂમ બુક થઈ ચુક્યા છે એટલે કે 20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ કરી દેવામાં આવ્યું છે. ફાઇવ સ્ટાર હોટેલોમાં પહેલી વખત સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર એટલું જ નહીં તેમના માટે હોટેલોમાં અલગથી ડાઇનિંગની અલાયદી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

ત્રણ હેલિકોપ્ટરથી કરવામાં આવશે પુષ્પવર્ષા:
મહત્વનું છે કે, 600 એકરમાં ફેલાયેલા આ શતાબ્દી મહોત્સવનું વડાપ્રધાન મોદી બુધવારના રોજ ઉદઘાટન કર્યા બાદ આખા નગર પર હેલિકોપ્ટર મારફતે ગુલાબોથી પુષ્પ વર્ષા કરવામાં આવશે અને જેના માટે BAPS દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરી દેવામાં આવ્યાં છે. આ સાથે આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.