નિષ્ણાંત પ્રશાંત કિશોરે કર્યો હતો દાવો: પશ્ચિમ બંગાળમાં ભાજપને 100 બેઠકો પણ નહીં મળે,અને જો બે અંકોમાં બેઠક મેળવે તો છોડી દઈશ ટવીટર

રાજકીય નિષ્ણાંત પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 100 બેઠકો પણ નહીં મળે અને જો બે અંકોમાં બેઠક મેળવે તો ટ્વિટર છોડી દઇશ.

સાથે તેમણે કહ્યું હતું કે કદાચ ભાજપ 200 બેઠકો ન મેળવી શકે તો શું તેમના નેતાઓ પદ પરથી રાજીનામા આપી દેશે.

અગાઉ તેઓ આ જ પ્રકારની મદદ ભાજપ, જદ(યુ) અને કોંગ્રેસને પણ કરી ચુક્યા છે. તેઓએ મમતાનું સમર્થન કરતા નિવેદનો આપવાનું શરૂ કરી દીધુ છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે હું ભાજપના નેતાઓને પડકાર ફેંકુ છું, શું આ નેતાઓ ભાજપ 200 બેઠકો મેળવવામાં નિષ્ફળ રહે તો પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે.

પ્રશાંત કિશોરે આ પડકાર ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના ભાજપના નેતાઓને ફેક્યો હતો.

તેઓ આ આંકડા કરતા વધુ બેઠકો મેળવી લે તો હું મારૂ કામ છોડી દઇશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.