ગુજરાતમાં કોરોનાની ત્રીજી વેવની તૈયારી : જુદા જુદા વિસ્તારોમાં સ્મશાન ગૃહોમાં CNG ભઠ્ઠીઓને અપગ્રેડ કરાશે.

કોવિડ-૧૯ની સંભવિત ત્રીજી લહેરને લઈને શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં આવેલાં સ્મશાનગૃહોમાં CNG ભઠ્ઠીઓને અપગ્રેડ કરવા અને ત્રણ વષઁ માટે ઓપરેશન અેન્ડ મેઈન્ટેનન્સની કામીગીરી સોંપવામાં રોડ અેન્ડ બિલ્ડિંગ કમિટિમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે.

આ હેતુસર રૂ.૦૪ કરોડ ૨૪ લાખથી વધુ ખર્ચ કરાશે અને આલ્ફા ઈન્કવીપમેન્ટ્સને આ કામગીરી સોંપવામાં આવશે. ઉપરાંત એક હોસ્પિટલમાં કોરોના દદીઁઁઓને સારવાર પૂરી પાડવા માટે વધારાની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.

આ કામગીરી ઝડપથી થઈ શકે તે હેતુસર ક્વોટેશનથી કામ ફાળવવા અને સરકારી માન્યતા ધરાવતાં આકીઁ મિડીયા કન્સલ્ટન્ટ પ્રા.લિ .મારફતે કામગીરી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.