વડા પ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલને કર્યો ફોન અને ગુજરાત સરકારે લીધો આ મોટો નિર્ણય જાણો શુ ?

ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરીને પછી ગુરૂવારે અચાનક જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન રદ્દ કરવાની જાહેરાત કરીને આશ્ચર્ય સર્જી દીધું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન રદ્દ કરવાની જાહેરાત કરવાની ફરજ પાડી હોવાની ચર્ચા છે.

ગુરૂવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય સિનિયર મંત્રીઓ અને સિનિયર અધિકારીઓની બેઠક હતી અને વાયબ્રન્ટ સમિટના આયોજન સ્થળ મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી તૈયારી અને આયોજનની સમીક્ષા માટે બેઠક યોજાવાની હતી પણ તેના બદલે અચાનક સમિટ જ રદ્દ કરાઇ હોવાની જાહેરાત કરી દેવાઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે બુધવારે વાયબ્રન્ટ સમિટના આયોજનને કારણે કોરોના વકરવાની આશંકા વ્યક્ત કરતો એક પત્ર વડાપ્રધાન કાર્યાલયને લખ્યો હતો અને તેના જવાબમાં નરેન્દ્ર મોદીએ ફોન કરીને સૂચના આપતાં ગુજરાત  સરકારે આ આયોજન રદ્દ કર્યું છે.

આ સમિટમાં હાજરી આપવા રશિયાના વડાપ્રધાન એક મોટું પ્રતિનિધીમંડળ લઇને આવી ગયા હતા પરંતુ સમિટ રદ થતા તે પાછા ફર્યા છે અને આ સમિટમાં મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ આવવાના હતા પરંતુ તેઓ પણ કોરોના પોઝિટીવ આવતાં તેમણે પ્રવાસ રદ્દ કર્યો હતો તેમજ આ ઉપરાંત ઘણાં બધાં દેશોના અને ભારતના રાજકીય અને બિઝનેસ પ્રતિનિધી મંડળોએ પણ આવવા અંગે સંકોચ વ્યક્ત કરીને નહીં આવવા બદલ ક્ષમા  માંગતો પત્ર   મોકલ્યો હતો. ગુજરાત સરકારને   ભય હતો કે વધતાં જતાં સંક્રમણને કારણે આગેવાનોએ સમિટમાં નહીં આવવાનો નિર્ણય લીધો હોવાને કારણે આ સમિટના આયોજનનો અર્થ રહે નહીં. આ સંજોગોમાં સમિટ રદ્દ કરવી વધુ હિતાવહ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.