પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની આજે બીજી પુણ્યતિથિ ,જાહન્વીએ તસવીર શૅર કરીને કહ્યું, તમને રોજ યાદ કરું છું

મુંબઈઃ બે વર્ષ પહેલાં આજના જ દિવસે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીનું દુબઈમાં આકસ્મિક નિધન થયું હતું. શ્રીદેવી અહીંયા પતિ બોની કપૂર તથા દીકરી ખુશી સાથે નણંદ રીના કપૂરના દીકરા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા આવી હતી. જાહન્વી કપૂર ફિલ્મ ‘ધડક’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી લગ્નમાં હાજરી આપી શકી નહોતી. જોકે, દુબઈમાં શ્રીદેવીનું આકસ્મિક અવસાનથી માત્ર પરિવારને જ નહીં બોલિવૂડ અને ચાહકોને ઘેરો આઘાત લાગ્યો હતો. જાહન્વી કપૂરે માતાની બીજી ડેથ એનિવર્સરી પર નાનપણની તસવીર શૅર કરી હતી.

જાહન્વી કપૂરે સોશિયલ મીડિયામાં માતા સાથેની નાનપણની તસવીર શૅર કરીને કહ્યું હતું, રોજ તમને યાદ કરું છું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.