રાહુ-શનિનો સંયોગ આ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, અકલ્પનીય ધનલાભથી તિજારીઓ છલકાશે, સુખ-સંપત્તિ વધશે

શનિ અને રાહુ બંને એવા ગ્રહો છે જેમના નામ સાંભળતા જ લોકો થથરી જતા હોય છે. વૈદિક જ્યોતિષ મુજબ આ બંને ગ્રહોને અશુભ ગણવામાં આવે છે પરંતુ આ સાથે જ એવું પણ જણાવાયું છે કે જ્યારે આ બે ગ્રહોની કૃપા વરસે તો છપ્પરફાડ સફળતા અને ધન આપે છે. એ પણ જોવા મળ્યું છે કે જ્યારે આ ગ્રહ કોઈ જાતકની કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય તો તેઓ ખુબ લાભકારી સિદ્ધ થાય છે. તેમની કૃપાથી વ્યક્તિને ધન, વૈભવ, યશની ક્યારેય કમી રહેતી નથી. છાયા ગ્રહ તરીકે ગણાતા રાહુએ જુલાઈ 2024માં નક્ષત્ર પરિવર્તન કર્યું છે અને શનિના નક્ષત્ર ઉત્તર ભાદ્રપદમાં ગોચર કરી રહ્યા છે. હાલ આ બંને ગ્રહ વક્રી છે. શનિ અને રાહુ સંયોગની સકારાત્મક અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ 5 રાશિઓના જાતકો માટે તે ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે…

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને રાહુ અને શનિનો સંયોગની સકારાત્મક અસરથી ભાગ્યનો પૂરો સાથ મળશે. ધનની આવક માટે તમે જે પણ પ્રયત્નો કરશો તેનું પરિણામ તમારા પક્ષમાં રહેશે. આવકમમાં બંપર વધારો થવાના યોગ છે. વિદ્યાર્થીઓની અભ્યાસની જગ્યા બદલાય તેવી સંભાવના છે જે લાભકારી થઈ શકે છે. રાજકારણ સાથે જોડાયેલા જાતકોની સમાજમાં પ્રતિષ્ઠા વધશે. લવ લાઈફમાં રોમાન્સ અને રોમાંચ બંને વધશે.

મિથુન રાશિ

મિથુન રાશિ રાશિના જાતકોના જીવન પર રાહુ અને શનિનો સંયોગ સકારાત્મક રહેશે. વિદ્યાર્થીઓના કરિયરમાં ઉલ્લેખનીય પ્રગતિ થવાની શક્યતા છે. ભાગીદારીના વેપારમાં લાભ થશે. વેપાર વિસ્તરણની યોજના પર અમલ થઈ શકે છે. નોકરીયાતોના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. આવકમાં અકલ્પનીય વધારો થઈ શકે છે. કોટુંબીક જીવન સુખમય રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સમય ભાગ્યોદયનો રહી શકે છે. રાહુ અને શનિનો સંયોગ સકારાત્મક અસર આપશે જે દરેક ક્ષેત્રમાં પ્રગતિ લાવશે. મિત્રોની વિશેષ મદદ મળશે. તેમના સહયોગથી દરેક પ્રકારના અટકેલા કામોમાં પ્રગતિ થઈ શકે છે. વેપારમાં ભાગીદારોથી વિશેષ મદદ મળશે. નોકરીયાતોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થવાના યોગ છે. કૌટુંબિક જીવનમાં સંબંધ મધુર બનશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે રાહુ અને શનિનો સંયોગ તેમના જીવનમાં અનુકૂળ પરિવર્તન લાવનારો સાબિત થઈ શકે છે. નોકરી બદલવાની ઈચ્છા ધરાવતા જાતકોને હાઈ સેલરીવાળી નોકરી મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. રોજગારીની નવી તકો સામે આવવાથી બેરોજગારોને નવી નોકરી મળી શકે છે. સ્વાસ્થ્ય સમસ્યા દૂર થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે.

મકર રાશિ

રાહુ શનિ સંયોગથી મકર રાશિના જાતકોના જીવનમાં અનુકૂળ પ્રભાવ જોવા મળશે. કારોબારમાં પ્રગતિ અને વિસ્તાર થવાની શક્યતા છે. વિરોધીઓ પરાજીત થશે. અનુભવી લોકો સાથે સંપર્કથી તમારા બગડેલા કામ પાર પડશે. વિદ્યાર્થીઓને લક્ષ્ય મેળવવા માટે શિક્ષકની મદદ મળી રહેશે. સરકારી નોકરીની તૈયારી કરતા જાતકને સફળતા મળી શકે છે. લાઈફ પાર્ટનરનો પૂરેપૂરો સહયોગ મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.