અમરિન્દર સિંહને CMની પોસ્ટ પરથી કેમ હટાવવામાં આવ્યા રાહુલ ગાંધીએ કર્યો ખુલાસો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી વખત ખુલાસો કર્યો છે કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને મુખ્યમંત્રી પદ પરથી કેમ હટાવવામાં આવ્યા હતા? 20 ફેબ્રુઆરીના રોજ થનારી આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા એક રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કેપ્ટન અમરિન્દર સિંહ પંજાબના લોકોને મફતમાં વીજળી આપવા માગતા નહોતા અને હું તમને જણાવીશ કે કેપ્ટન અમરિન્દર સિંહને પંજાબના મુખ્યમંત્રી પદ પરથી કેમ હટાવવામાં આવ્યા. તેનું કારણ એ છે કે તેઓ ગરીબ લોકોને મફતમાં વીજળી આપવા માટે રાજી નહોતા.

તેમણે કહ્યું કે મારો વીજળી પુરવઠા કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ છે અને આ પહેલા 13 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દાવો કર્યો હતો કે કેપ્ટન અમરિન્દર સિંહના નેતૃત્વવાળી પંજાબ સરકારને બદલવી પડી કેમ કે દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી (BJP) ચલાવી રહી હતી. કોટકપુરમાં એક જનસભાને સંબોધિત કરતા તેમણે પૂર્વ મુખ્યમંત્રીનું નામ લીધા વિના કહ્યું હતું કે અહીં 5 વર્ષ અમારી સરકાર હતી, એ પણ સાચું છે કે એ સરકારમાં કેટલીક અછત હતી. અમે ક્યાંક માર્ગ ભટકી ગયા હતા.

હવે કેપ્ટન અમરિન્દર સિંહે પોતાની અલગ પાર્ટી બનાવી છે અને તે ભાજપ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ગુરુવારે રાહુલ ગાંધીએ પંજાબની મુખ્ય વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર પણ જબરદસ્ત હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેજરીવાલ જીએ મજીઠિયા પાસે શા માટે માફી માગી? શું મેં કે ચન્ની જીએ મજીઠિયા પાસે માફી માગી અને પછી કેજરીવાલે માફી કેમ માગી. મારા ઉપર 20-25 કેસ છે, મેં આજ સુધી કોઈ પાસે માફી માગી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.