કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે, મતદાનવાળા પશ્ચિમ બંગાળમાં,તેમની તમામ જાહેરસભાઓને કરી હતી રદ

દેશમાં કોવિડ-19 કેસોમાં ઝડપથી વધારો થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે મતદાનવાળા પશ્ચિમ બંગાળમાં તેમની તમામ જાહેરસભાઓને રદ કરી હતી.

તેમણે અન્ય તમામ રાજકારણીઓને પણ જાહેરમાં મોટી રેલીઓ યોજવાના પરિણામ વિશે વિચારવાની સલાહ આપી હતી. તેમણે ટ્વિટર પર કહ્યું, કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હું પશ્ચિમ બંગાળમાં મારી બધી જાહેર રેલીઓનેસ્થગિત કરું છું

દેશમાં કોરોનાવાયરસના મામલામાં વધારો થતાં રાજકીય રેલીઓ યોજવા માટે કોંગ્રેસ ,વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ટીકા કરી રહી છે.

તેમણે કહ્યું કે વડા પ્રધાન તેમની ડ્યુટી પર હોવા જોઈએ, તેમને ડેસ્ક પર બેસવું જોઈએ અને કોવિડ-19 રોગચાળાને સંભાળવા મુખ્યમંત્રીઓ સાથે સંકલન કરવું જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.