લાયસન્સ વગર નકલી ISI વાળી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર બનાવતી કંપની પર દરોડા

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરોથી માન્ય લાયસન્સ લીધા વિના પેકેજ્ડ પીવાના પાણીનું ઉત્પાદન થતું હોવાની માહિતીના આધારે તા. 7 એપ્રિલ 2022એ ભરૂચ ઉદ્યોગનગરમાં કાર્યરત હરેકૃષ્ણ એન્ટરપ્રાઈઝ, ભરૂચ ઉદ્યોગનગર, ભરૂચ, ગુજરાત પર દરોડા પાડ્યા હતા.અને દરોડા દરમિયાન એ ટુ ઝેડ વાયર અને કેબલ બ્રાન્ડની નકલી ISI વાળી લગભગ 900 બોટલ પેકેજ્ડ પીવાનું પાણી જપ્ત કરવામાં આવ્યું.

આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે.અને જે મુજબ કોઈપણ વ્યક્તિ આ વસ્તુનું ઉત્પાદન ભા.મા.બ્યુ(બીઆઈએસ) તરફથી આઈએસઆઈ માર્કના લાયસન્સ લીધા વગર કરી શકે નહીં.તેમજ બ્યુરોની પૂર્વ પરવાનગી વગર બ્યુરો માનક માર્કનો બનાવટી ઉપયોગ કરનારા વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ની કલમ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે.અને આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 200000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદકોનું ઉત્પાદન કરતા હોય છે.અને ભારતીય માનક બ્યુરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોનાં માનકચિન્હના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન હેઠળ આવત્તા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોંડ, અમદાવાદ -380014, ફોનનં. ૦79-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo-2@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. તેમજ આવા પ્રકારની સુચના આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.