રેલવેના જૂનિયર એન્જિનિયરે ટ્રેન નીચે પડતું મૂકી મોતને કર્યું વ્હાલું; જુઓ મણિનગરનો ખૌફનાક CCTV…

Ahmedabad Railway Station: અમદાવાદમાંવધુ એક આપઘાતની ઘટના બની છે. મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે એન્જિનિયર દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. જામનગર હમસફર ટ્રેન (Ahmedabad Railway Station) હેઠળ ઝંપલાવી રેલવે કર્મીએ જીવન ટુંકાવ્યું છે. હચમચાવે એવી આપઘાતની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના અંગે જાણ થતાં મણિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવે કર્મીનો આપઘાત

અમદાવાદનાં મણિનગર રેલવે ક્રોસિંગ પાસે વધુ એક આત્મહત્યાની ઘટના બની છે. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, આત્મહત્યા કરનારા શખ્સની ઓળખ રેલવે વિભાગમાં ફરજ બજાવતા એન્જિનિયર તરીકે થઈ છે. રેલવે એન્જિનિયરે જામનગર હમસફર ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટુંકાવ્યું છે. જો કે, આત્મહત્યા પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી.

આત્મહત્યાનું કારણ હાલ અકબંધ

રેલવે એન્જિનિયર દ્વારા આત્મહત્યા કર્યાની જાણ મણિનગર પોલીસને થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેલવે કર્મીએ આપઘાત કેમ કર્યો તે અંગેની સાચી હકીકત જાણવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આપઘાતની ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

લોકોની નજર સામે જામનગર હમસફર ટ્રેનની નીચે અશ્વિનભાઈએ આપઘાત કરતાં હાહાકાર મચી ગયો હતો. એને લઇને લોકોનું ટોળુ એકત્ર થઈ ગયુ હતુ. પોલીસને જાણ કરતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યારે મોર્નિંગ વોક કરવા નીકળેલા અશ્વિનભાઈના પાડોશીએ તેમના ભાઈને જાણ કરી હતી.

આ અંગે મણિનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તેમના ભાઇનું નિવેદન લઇને અન્ય પરિવારજનોનાં નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે, જોકે મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પોલીસે મોતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.