રાજ્યમાં આજે સંક્રમિત થનારા સામે સ્વસ્થ થનારા દર્દીઓ વધારે, છેલ્લા 24 કલાકમાં થયાં 51,912 કોરોના ટેસ્ટ

દેશ અને દુનિયામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા રાહત આપનારા તો છે જ પરંતુ સાથે સાથે ડરામણાં પણ છે. ગુજરાતમાં આજે દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યા અને સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા બંન્ને ત્રણ ડિઝિટમાં આવી ગઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 980 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1107 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 06 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3704 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 152,995 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 51,912 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 58,97,627 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,17,506 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,17,299 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 207 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 980 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 163 અને જિલ્લામાં 64 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 161 અને જિલ્લામાં 25 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 74 અને જિલ્લામાં 39 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 53 અને જિલ્લામાં 38 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 63 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,291 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 152,995 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3704 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 89.97% છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.