રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1034 નવા કેસ, 27ના મોત, 917 સ્વસ્થ થયાં

 

રાજ્યમાં કોરોનાની પોઝિટિવ કેસોનો આંકડો દરરોજ 1 હજારની ઉપર આવી રહ્યો છે. સંક્રમણ મહાનગરોથી માંડી ગ્રામ્ય પંથક સુધી ફેલાઈ ચુક્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1034 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 27 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2584 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 917 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1034 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 184 અને જિલ્લામાં 54 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 137 અને જિલ્લામાં 14 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 95 અને જિલ્લામાં 23 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 71 અને જિલ્લામાં 19 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 82 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,823 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 50,322 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2584 થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.