રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1015 કેસ, 19ના મોત, 1094 સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોના સંક્રમિતોના દરરોદ 1 હજાર આસપાસ પોઝિટિવ કેસ નોંધાય રહ્યાં છે. જો કે સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો રાહત આપે એવો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1015 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 19 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2767 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1094 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો  77,663 પર પહોંચ્યો છે.

આજે નોંધાયેલા કુલ 1015 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 166 અને જિલ્લામાં 68 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 148 અને જિલ્લામાં 14 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 96 અને જિલ્લામાં 11 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 64 અને જિલ્લામાં 31 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 76 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,283 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 60,537 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2767 થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.