રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 80000 પાર, આજે 1126 કેસ

રાજ્યમાં કોરોના સંક્રમિતો રાજ્યમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 80 હજારને પાર થઈ ચુક્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1126 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 20 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2822 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1131 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો  80,942 થયો છે.

આજે નોંધાયેલા કુલ 1126 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 175 અને જિલ્લામાં 77 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 149 અને જિલ્લામાં 16 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 89 અને જિલ્લામાં 22 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 65 અને જિલ્લામાં 33 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 78 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,332 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 63,710 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2822 થયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.