રાજ્યમાં કોરોના ટેસ્ટને લઈ જામ્યો જંગ, અહેમદ પટેલનાં સવાલ પર CM રૂપાણીનો જવાબ

ગુજરાતમાં કોરોનાનાં ટેસ્ટિંગ ઘટાડવા મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે તેને લઈને રાજ્યમાં જંગ જામ્યો છે. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે ગુજરાતમાં ટેસ્ટ ઘટાડવા બાબતે રૂપાણી સરકાર પર નિશાન સાધ્યું હતું. જેના થોડા જ કલાકોમાં જ સીએમ રૂપાણી દ્વારા ટેસ્ટિંગ ઘટાડવાના આરોપ પર જવાબ આપ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટેસ્ટિંગને લઈને સરકાર પર પ્રહાર કર્યાં છે.

કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે ટ્વીટ કરીને સરકારને સવાલ પુછ્યો કે, ગુજરાત સરકારે કેમ ટેસ્ટ ઘટાડી દીધા છે? આ ખુબ જ પરેશાન કરનારું છે અને ટેસ્ટ વધારવાની નેશનલ પોલિસીની વિરુદ્ધનું છે. મહામારીના સમયમાં સમસ્યા અંગે પ્રામાણિક રહેવું ખુબ જ જરૂરી છે, નહીં કે તેને છૂપાવવાનો પ્રયાસ કરવો.

તો અહેમદ પટેલ દ્વારા આરોપ લગાવાતાં જ થોડા જ સમયમાં સીએમ રૂપાણીએ પણ ટ્વીટ કરીને પ્રત્યુત્તર આપ્યો હતો. સીએમ રૂપાણીએ લખ્યું કે, મિ. અહેમદ પટેલ, ગુજરાત દ્વારા ટેસ્ટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. કૃપા કરીને તમારા માહિતી સ્ત્રોતોને ફરીથી તપાસો જે તથ્યો અને જમીનની વાસ્તવિકતાઓથી ખૂબ દૂર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.