રાજ્ય સરકારોના કોવિડને લઈને, ભરવામાં આવેલા પગલા અને ચિંતાથી,કરાવ્યા અવગત

અલ્હાબાદ કોર્ટે કહ્યુ કે હોસ્પિટલમાં ઓક્સિજનની માંગ પુરી ન થવા પર  કોરોનાના દર્દીના મોત ગુનાહિત કૃત્ય છે. કોરોનાના દર્દીના મોત તેમના માટે કોઈ નરસંહારથી ઓછા નથી. જેમને લિક્વિડ મેડિકલ ઓક્સિજનની માંગ સુનિશ્ચિક કરવાનું કામ સોંપ્યું છે.

9 જિલ્લાના ડિસ્ટ્રિક જજ તરફ કોવિડને લઈને કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવી છે. એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલે કોર્ટમાં 2 દિવસનો સમય માંગ્યો છે. 27 એપ્રિલે ગત સુનવણીના આદેશનું પાલન કરવા સમયની માંગ કરી છે.

રાજ્ય સરકાર તરફથી જણાવવામાં  આવ્યું કે રાજ્યમાં 17614 આઈસોલેશન બેડ અને 5510 આઈસીયૂ બેડ અલગ અલગ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સરકારે કોર્ટને 2 દિવસ વધારેલા વીકેન્ડ કર્ફ્યુની જાણકારી આપી. આ દરમિયાન હાઈકોર્ટ બાર અસોસિએશનના અધ્યક્ષ સીનિયર વકિલ અમરેન્દ્ર નાથ સિંહે કોર્ટ પાસે માંગ કરી છે કે કોરોનાની ચેન તોડવા માટે અંતિમ વિકલ્પ છે.

યૂપી પંચાયતની ચૂંટણી દરમિયાન નિયમોના ઉલંઘનને લઈને હાઈકોર્ટે ઈલેક્શન કમિશનને નેક્સ સુનવણી પર કાઉન્ટિંગના સીસીટીવી ફુટેજ માંગ્યા છે.  કોર્ટે પેન ડ્રાઈવમાં આગલી સુનવણી પર કાઉન્ટિંગ એરિયા અને સેન્ટર બન્નેના ફુટેજ માંગ્યા છે

આ ઉપરાંત કોર્ટના જજ વીરેન્દ્ર કુમાર શ્રીવાસ્તવે કોરોનાના ચાલતા થયેલા મોત પર સોગંદનામુ માંગ્યુ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.