રાજ્યમાં શાળાઓ શરૂ કરવા માટે ઉતાવળ નહીં કરાય, હાલ ફી વસુલતી સ્કૂલો સામે પગલા લેવાશે’: શિક્ષણમંત્રી

રાજપીપળા. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા 22 વર્ષથી નર્મદા જિલ્લાના ગોરા ખાતે આવેલા શૂલપાણેશ્વરમાં પૂજા કરતા આવ્યા છે. આજે સોમવતી અમાસે શિક્ષણમંત્રીએ શૂલપાણેશ્વર મંદિર ખાતે પૂજા કરી હતી. આ સમયે શિક્ષણમંત્રીએ રાજ્યમાં શાળાઓ શરૂ કરવાની ઉતાવળ નહીં કરવાની અને ફી લેવાની વાતો કરતી સ્કૂલો સામે પગલા લેવાની વાત કરી હતી.

અભ્યાસક્રમ બાબતે કમિટીની રચના કરી છેઃ શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વેબિનાર દ્વારા મે શિક્ષણવિદો અને ડોક્ટરો સાથે ચર્ચા કરી છે. જેમાં શાળા ખોલવાની ઉતાવળ ન કરવી અને સંપૂર્ણપણે જનજીવન રાબેતા મુજબ ચાલુ થાય પછી બાળકોના સ્વાસ્થ્યને લઇને અમે શાળા ખોલવા બાબતે નિર્ણય કરવામાં આવશે અને અભ્યાસક્રમ બાબતે પણ અમે કમિટીની રચના કરી છે અને એમાં પણ 20 કે 30 ટકા અભ્યાસ ક્રમ અમે નિર્ણય કરીશું. જ્યારે જે શાળાઓ હાલ ફી લેવાની વાતો કરી રહી છે તેની સામે અમે પગલા લઈશું.

કોરોના મહામારીમાં શિક્ષણકાર્ય બંધ રહ્યું નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની મહામારી વચ્ચે પણ શિક્ષણકાર્ય બંધ રહ્યું નથી. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચાડ્યા છે. આ ઉપરાંત ઓનલાઇનના માધ્યમથી શિક્ષણકાર્ય નિરંતર ચાલુ જ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.