રાજ્ય સભા ના સાંસદ શ્રી કેશરીસિંહજી ઝાલા પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને.

તારીખ ૨૬/૦૨/૨૦૨૪ ને સોમવાર ના રોજ રાજ્ય સભા ના સાંસદ શ્રી કેશરીસિંહજી ઝાલા,ભાજપ જીલ્લા મંત્રી શ્રી જામસંગભાઈ પરમાર, રાણપુર APMC ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ,શ્રી વિહળ ઈન્ટરનેશનલ વિધાપીઠ સંચાલકશ્રી અરવિંદભાઈ ચાંદપરા,શ્રી કિશોરભાઈ ખાચર- ગઢડા ,શ્રી નરેશભાઈ ખાચર- ગઢડા અને શ્રી સતુભાઈ ધાધલ- બોટાદ સૌ પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને આવેલ

જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લીધા અને પૂજ્ય શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા સાંસદ સાહેબ સન્માન કરવામાં આવ્યું સાહેબે જગ્યા માં દર્શન કરી કાર કલેક્શન જોઈ જગ્યા ની અત્યાધુનિક બણકલ ગૌશાળા ની મુલાકાત લઇ જગ્યામાં સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો

અહેવાલ: કનુભાઈ ખાચર

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.