રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ, અનેક રજૂઆત છતાં તંત્રે કર્યા ‘આંખ આડા કાન’

રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. તેમને તંત્રનો ડર ન રહેતા રેતીની ખનીજ ચોરી બેફામ રીતે કરી રહ્યા છે. ત્યારે હવે એવા કેટલાક મામલા સામે આવ્યા છે. રાજકોટના ઉપલેટામાં રેતીની ખનીજ ચોરી બેફામ રીતે થઇ રહી છે. ખનીજ માફિયાઓ અહીંથી પસાર થતી ભાદર નદીને બેરહેમીથી લૂંટી રહ્યા છે અને સરકારી તંત્ર ચૂપ-ચાપ રીતે આ દેશની સંપત્તિને લુંટાતી જોઈ રહ્યા છે. જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે તેને સામ દામ દંડ અને ભેદની રીત અપનાવીને ચૂપ કરી દેવામાં આવે છે.
આ વિસ્તારના ભાદર કાંઠાના ગામો સાથે આ ખનીજ માફિયાઓને અવારનવાર સંઘર્ષ થતો રહે છે. એક હદની બહાર જઈને ખનીજ માફિયાઓએ ભાદર નદીમાં રેતીની લૂંટ મચાવી છે. આ ના હિસાબે અહીં નદીના કાંઠા ધોવાયને તૂટી ગયા છે અને આ વિસ્તારમાં નદી ઉપર બનેલા ચેક ડેમો પણ તૂટી ગયા છે. જયારે આ બાબતની ગ્રામજનો દ્વારા તમામ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનો દ્વારા લેખિતમાં ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, ખનીજ વિભાગ, ગુજરાત પોલીસે વિભાગ જેવા તમામ સ્તરે રજૂઆત કરી ચુક્યા છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કે અસર જોવા મળતી નથી. આ વિસ્તારના લોકોની તમામ પ્રકારની લેખિત અને મૌખિક રજૂઆતો માત્ર કાગળ ઉપર જ રહે છે.
ભાદર નદીના 40 કિમીના કિનારા ઉપરના તમામ ગામોમાં ખનીજ ચોરી એ સામાન્ય બાબતે છે. ત્યારે આ બાબતે સામાજિક આગેવનો દ્વારા જે રજૂઆતો થઇ છે તેનું કઈ પરિણામ ના આવતા આ આગવેનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ખાણ ખનીજ વિભાગ, પોલીસે વિભાગ, અને સરકાર પણ આ ખનીજ માફિયાઓ સાથે મળેલા હોય કામગીરી ના થતી હોય તેમ જણાવેલ હતું, અને આ ખનીજ ચોરીમાં તમામ સરકારી અધિકારીઓની મિલી ભગત હોય તો જ આ ખનીજ ચોરી ચાલુ હોવાનું જણાવેલ હતું,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.