રાજ્યના પૂર્વ મંત્રી જયંતિ કવડિયાએ 375 વીઘા જમીન પચાવી પાડ્યાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ

જમીન માફિયાઓ દ્વારા જમીન પચાવી પાડવાના કિસ્સાઓ તો અવાર-નાવાર સામે આવતા રહે છે. પરંતુ હવે રાજ્યના પૂર્વ મંત્રી દ્વારા જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા દ્વારા જમીન પચાવી પાડવામાં આવી છે. જંયતિ કાવડિયા દ્વારા 375 વીઘા જેટલી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોપ્રતિક ઉપવાસ પર બેઠા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી કવાડિયા પર જમીન કૌભાંડના આક્ષેપ લાગતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આ મામલો આગામી સમયમાં મોટુ સ્વરૂપ ધારણ કરે તેવો એંધાણ વર્તાઇ રહ્યા છે.

હળવદના માનગઢ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ગામના લોકો જેઓ 1947માં પાકિસ્તાન હિજરત કરી ગયા હતા. તેવા મુસ્લિમ ઘાંચી પરિવારની જમીનને કવાડિયાએ પચાવી પાડી છે. જે ગામના ખેડૂતો આઝાદી બાદ ખેડતા હતા અને વીઘોટી પણ આપતા હતા. ખેડૂતોના આક્ષેપ મુંજબ કવાડિયાએ આ જમીન ખોટા સોગંધનામા દ્વારા વારસદારો ઉભા કરી તેમના પરિવાર તેમજ મળતિયાઓના નામે કરી લીધી છે. ખેડૂતોએ જમીનના સરવે નંબર પણ રજૂ કર્યા છે.

મોરબીમાં હિજરતીઓની જમીન પચાવવાનું કૌભાંડ સામે આવતા સમગ્ર રાજ્યમાં તેના પડઘા પડ્યા છે. હળવદના માનગઢમાં જમીન વિવાદ મુદ્દે ગંભીર આરોપ કવાડિયા પરિવાર પર લગાવવામાં આવ્યો છે. મોરબી LCB કચેરીમાં ખેડૂતો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાના પુત્રના નામે જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે. જિલ્લા ભાજપ મહામંત્રીના પત્નીના ખાતે જમીન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તાલુકા ભાજપ પ્રમુખના પુત્રના નામે પણ જમીનનો આરોપ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.