રામ મંદિર આપણી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મારૂ સૌભાગ્ય છે કે મને ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યો. મારૂ આવવુ સ્વાભાવિક હતુ. આજે ઈતિહાસ રચવા જઈ રહ્યો છે.

આજે સમગ્ર ભારત રામમય છે. દરેક મન દીપમય છે. પીએમે કહ્યુ કે રામ રાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ…. સદીઓથી જોવાઈ રહેલી રાહ સમાપ્ત થઈ રહી છે. વર્ષો સુધી રામલલા ટેન્ટ રહ્યા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે.

ગુલામીના કાલખંડમાં આઝાદી માટે આંદોલન ચાલ્યુ છે, 15 ઓગસ્ટનો દિવસ તે આંદોલનનો અને શહીદોની ભાવનાઓનુ પ્રતીક છે. તેવી જ રીતે રામ મંદિર માટે કેટલીય સદીઓ સુધી પેઢીઓએ પ્રયત્ન કર્યો છે. આજનો દિવસ તે તપ-સંકલ્પનુ પ્રતીક છે. રામ મંદિરના આંદોલનમાં અર્પણ-તર્પણ-સંઘર્ષ-સંકલ્પ હતો.
પીએમ મોદીએ કહ્યુ કે રામ આપણી સૌની અંદર છે, ભળી ગયા છે. ભગવાન રામની શક્તિ જુઓ, ઈમારતો નષ્ટ થઈ ગઈ છે અને કંઈ કેટલુંય થયુ. અસ્તિત્વ ભૂલવાનો પ્રયત્ન થયો પરંતુ રામ આજે પણ આપણા મનમાં વસેલા છે. હનુમાન જીના આશીર્વાદથી રામ મંદિર બનાવવાનુ કામ શરૂ થયુ છે. આ મંદિર આધુનિકતાનુ પ્રતીક બનશે. આ મંદિર આપણી રાષ્ટ્રીય ભાવનાનુ પ્રતીક બનશે. કરોડો લોકોની સામૂહિક સંકલ્પ શક્તિનું પણ પ્રતીક બનશે.
પીએમ મોદીએ કહ્યુ કે આગામી પેઢીઓને આ મંદિર સંકલ્પની પ્રેરણા આપતો રહેશે. સમગ્ર દુનિયામાંથી લોકો અહીં આવશે. અહીંના લોકો માટે અવસર બનશે. વડાપ્રધાને કહ્યુ કે આજનો આ દિવસ કરોડો રામ ભક્તોના સંકલ્પની સત્યતાનુ પ્રમાણ છે. આ દિવસ સત્ય-અહિંસા-આસ્થા અને બલિદાનનુ ન્યાયપ્રિય ભારતની એક અનુપમ ભેટ છે. કોરોના વાઈરસથી બનેલી સ્થિતિઓના કારણે ભૂમિ પૂજનનો કાર્યક્રમ અનેક મર્યાદાઓની વચ્ચે થઈ રહ્યો છે. આ મર્યાદાઓનો અનુભવ અમે ત્યારે પણ કર્યો હતો જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય સંભળાવ્યો હતો અને દરેકની લાગણીને ધ્યાનમાં રાખતા વ્યવહાર કર્યો હતો.
પીએમે કહ્યુ કે આ મંદિરની સાથે ઈતિહાસ બેવડાઈ રહ્યો છે. જે રીતે ખિસકોલીથી લઈને વાનર, વનવાસી બંધુઓને રામની સેવા કરવાનુ સૌભાગ્ય મળ્યુ. આજે દેશના લોકોના સહયોગથી રામ મંદિરનુ નિર્માણ કાર્ય શરૂ થયુ છે જેમ કે પથ્થર પર શ્રીરામ લખીને રામસેતુ બન્યો, તેવી જ રીતે ઘેર-ઘેરથી આવેલી શિલાઓ શ્રદ્ધાનો સ્ત્રોત બની ગયો છે. આ ના ભૂતો ના ભવિષ્યતિ છે. પીએમ મોદીએ કહ્યુ કે ભારતની આ શક્તિ સમગ્ર દુનિયા માટે અધ્યયનનો વિષય છે.
પીએમ મોદીએ કહ્યુ કે રામ દરેક જગ્યાએ છે. ભારતના દર્શન-આસ્થા-આદર્શ-દિવ્યતામાં રામ જ છે. તુલસીના રામ સગુણ રામ છે. નાનક-તુલસીના રામ નિગુણ રામ છે. ભગવાન બુદ્ધ-જૈન ધર્મ પણ રામ સાથે જોડાયેલા છે. તમિલમાં કંભ રામાયણ છે. તેલુગુ, કન્નડ, કાશ્મીર સહિત દરેક અલગ-અલગ ભાગોમાં રામને સમજવાના અલગ-અલગ રૂપ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.