રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે પણ મુલાકાત કરશે.

મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ 12મી ઓક્ટોબરના રોજ રાત્રે 8:30 વાગ્યે ગુજરાત આવી પહોંચશે. આગમનના દિવસે રાષ્ટ્રપતિ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ગાંધીનગર ખાતે જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ કોબા ખાતે આવેલા જૈન મંદિરની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિના આગમનના પગલે તેમના સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે આ પહેલા ગત વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ બે વખત ગુજરાતના પ્રવાસે આવી ચુક્યા છે. આ દરમિયાન તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટિ, કચ્છ અને સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત 2017માં પણ તેઓ સોમનાથની મુલાકાત લઈ ચુક્યા છે.

નોંધનીય છે કે આ પહેલા ગત વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ બે વખત ગુજરાતના પ્રવાસે આવી ચુક્યા છે. આ દરમિયાન તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટિ, કચ્છ અને સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત 2017માં પણ તેઓ સોમનાથની મુલાકાત લઈ ચુક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.