રાશનની દુકાને સમાન ન મળવાની ફરિયાદો નિવારવા જાહેર કરાયો હેલ્પલાઇન નંબર

દેશના અલગ અલગ ભાગમાંથી રાશનકાર્ડ પર અનાજ ન મળવાની અથવા તો ઓછું મળવાની ફરિયાદો આવી રહી છે. રાશન ડીલર કાર્ડધારકોની સાથે તેમના કોટાનો ભાગ આપવામાં પણ આનાકાની કરે છે.

આ સમસ્યાથી રાહત મેળવવા ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. ગ્રાહકો અહીં ફરિયાદ કરી શકે છે. જ્યારે ફરિયાદ મળશે ત્યારે તરત જ કાર્યવાહી કરાશે.કેન્દ્ર સરકારે લોકડાઉન પછી આત્મનિર્ભર ભારત અભિયાન યોજનાના આધારે પ્રવાસી શ્રમિકોને અનાજ વિતરણ કરવાનું નક્કી કર્યું છે.

આ સમયે એવી ફરિયાદ આવી છે જેમાં ડીલર દ્વારા ઓછું અનાજ અપાય છે. જો કોઈ રાશનકાર્ડ ધારકોને ફ્રીમાં અનાજ મેળવવામાં તકલીફ પડી રહી છે તો તેઓ તેની ફરિયાદ જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રણ કાર્યાલયમાં કે પછી રાજ્ય ઉપભોક્તા સહાયતા કેન્દ્ર પર કરી શકે છે.

સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અને 1967 જાહેર કર્યા છે. ગ્રાહક અહીં ફરિયાદ કરી શકે છે. આ રાજ્ય સરકારોએ અલગથી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.