રાવણાં કહેતા જાંબુ ડાયાબીટીશના દર્દી માટે, પારંપારિક ઔષધ છે

કોરોનાના કપરા સમયમાં તન અને મનને ટાઢક આપતા જૂનાગઢી રાવણાં ઔષધિય ગુણોથી ભરપુર છે. રાવણાં કહેતા જાંબુ ડાયાબીટીશના દર્દી માટે પારંપારિક ઔષધ છે. રાવણાંની છાલ, ગર્ભ અને ઠળિયા બધું જ ડાયાબીટીશના દર્દીઓ માટે ફાયદાકારક છે.

આ રાવણાં વિશે જૂનાગઢ કૃષિ યુનિ.ના હોર્ટીકલ્ચર વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ. ડી.કે. વરૂએ કહ્યું કે, રાવણાંના બગીચા જુંજ માત્રામાં છે. ખેડૂતો ગ્રીન બેલ્ટ તેમજ પવન અને તડકાના મારથી આંબાના બગીચાને રક્ષિત ફરતે રાવણાંના ઝાડ વાવે. છે. જૂનાગઢ પાસેના સોડવદર, ઘુડવદર, વિજાપુર અને જૂનાગઢ કૃષિ યુનિ. માં થોડા બગીચા છે.

અહિં રાવણાંના બે બગીચા ઉપરાંત અંદરના રોડ રસ્તાઓ ઉપર અનેક છુટાછવાયા ઝાડ છે. આમ તો સોરઠ રાવણાંનું હબ છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં રાવણાંના વેપારી પેઢી નરેશકુમારના માલીકના જણાવ્યા મુજબ અહિંના રાવણાંની દિલ્હી, બેંગ્લોર, મુંબઇ અને અમદાવાદમાં જબરી ડિમાન્ડ છે.

ઔષધિય ગુણોથી ભરપુર રાવણાં હાલ જૂનાગઢ અને વંથલીની બજારોમાં આવવા લાગ્યા છે. રૂા. 100 થી માંડીને 250 ના કીલોના ભાવે મળતા રાવણાં ટોપલા લઇને વેંચતી બહેનો માટે રોજગારીનું માધ્યમ પણ છે. રાવણાંનો ઇજારો રાખી વહેલી સવારથી બપોર સુધી રાવણાં ઉતારતા પરિવારની મહિલા સભ્યો ટોપલો ભરીને વેંચવા આવે અને એક બે પેસા રળી ઘરે જાય ત્યારે એના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ જોઇ શકાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.