રીંગણ, કોબીજ, ધાણાને ખેડૂતો મફતના ભાવમાં વેચવા મજબૂર બન્યા, અનેક ખેડૂતો તૈયાર શાકભાજી ફેંકી દેવા મજબૂર.

સામાન્ય રીતે ઉનાળાની ઋતુ માં શાકભાજીના ભાવ આસમાને હોય છે. આ માટે જ ખેડૂતો ઉનાળામાં પણ પાણીની વ્યવસ્થા કરીને શાકભાજીનું વાવેતર કરતા હોય છે. જોકે, આ વખતે કોરોનાના કહેર વચ્ચે શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોની હાલત કફોડી બની છે. જ્યારે બીજી તરફ એવું પણ જોવા મળી રહ્યું છે કે શહેરોમાં લૉકડાઉન ને  પગલે બમણા ભાવ લેવામાં આવી રહ્યા છે. બીજી તરફ કોઈ ખરીદદાર ન મળતા ખેડૂતો અનેક શાકભાજી ફેંકી દેવા મજબૂર બન્યા છે.

સમગ્ર દેશમાં લૉકડાઉન અસર દરેકના ધંધા-રોજગાર પર પડી છે. જોકે, સૌથી વધારે ખરાબ હાલત શાકભાજી પકવતા ખેડૂતોની થઈ છે. નર્મદા જિલ્લો શાકભાજીનું મોટું હબ છે. અહીં મોટા પ્રમાણમાં લોકો શાકભાજીની ખેતી કરતા હોય છે. હાલમાં શાકભાજીમાં રીંગણ, ફ્લાવર, કોબીજ, ધાણા, મરચાં, ભીંડા વગેરેનો પાક તૈયાર છે. પરંતુ ખેડૂતો જ્યારે શાકભાજી વેચવા જાય છે ત્યારે માંગ ન હોવાને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે.

ખેડૂતો ધાણાને તોડીને જ્યાં માંગ હોય ત્યાં વેચવા જાય છે ત્યારે લૉકાઉનને કારણે પોલીસ તેમને અટકાવી રહી છે. આવી જ રીતે કોબીજ પણ તૈયાર છે પરંતુ વેચવા ક્યાં જવું તે મગજમારીમાં કોબીજ પણ ખેતરમાં જ પાકી ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે જો લૉકડાઉન હજુ વધશે તો તેમણે ઝેર પીવાનો વારો આવશે. ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે યોગ્ય ભાવ મળે તે માટે તેમને બીજા જિલ્લામાં શાકભાજી વેચવા દેવાની મંજૂરી આપવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.