ઋતંભરાદેવીએ કહ્યુ- એન્કાઉન્ટર સમાધાન નથી, દરેક વ્યક્તિમાં સંસ્કાર જરૂરી

અમદાવાદ: ઉવારસદમાં મા ઉમિયાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહૂતિના દિવસે દીદીમા ઋતંભરાદેવીજીએ પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે, આજના કળયુગમાં સ્ત્રીએ દુર્ગાનું સ્વરૂપ ધારણ કરવાની જરૂર છે. હૈદરાબાદમાં દુષ્કર્મીઓના એન્કાઉન્ટ વિશે બોલતા તેમણે કહ્યું, એન્કાઉન્ટર એ સમાધાન નથી, દરેક વ્યક્તિમાં સંસ્કાર જરૂરી છે.

આજે આપણે કોમ્પિટિટર બની ગયા છીએ, આપણે મોટા બનવા માગીએ છીએ, પરંતુ જ્યારે મોટા નથી બની શકતા ત્યારે તણાવમાં આવી જઈએ છીએ. એ વાત હંમેશાં જોવા મળે છે કે, કોઈ નાનો, કાળો, ઠીંગણો છે, જેના કારણે ક્યારેક ધૃતકારની લાગણી જોવા મળતી હોય છે, પરંતુ તે કારણથી તેમની હિનભાવનાઓ વિસ્ફોટક રીતે બહાર નીકળી રહી છે, જેના કારણે પરિણામ વિપરીત આવે છે. સમાજ બીજું કોઈ નહીં, આપણે જ છીએ. મોહમુક્ત બનીને સત્યના પક્ષમાં રહીને કાર્ય કરો.

દરેક વ્યક્તિમાં સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવ અને સન્માન હોવું જોઈએ. કેટલાક લોકો રક્ષાબંધન જેવી પરંપરાને બકવાસ કહે છે. એન્કાઉન્ટરમાં પાપીઓ મરી રહ્યા છે, પરંતુ સમાધાન આ નથી, દરેક વ્યક્તિમાં સંસ્કાર જરૂરી છે. લોકોમાં પરિવર્તન જરૂરી નથી, ભારતની વ્યવસ્થા જરૂરી છે. હૈદરાબાદમાં પોલીસ પર જે લોકોએ ફૂલ વરસાવ્યા તે ન્યાય છે. નિર્ભયાને લઈ હજુ દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. અન્યાય ત્યારે જ થાય જ્યારે ન્યાય સમયસર નથી મળતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.